Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ડેથ ઓવરોમાં ઉત્તમ બેટિંગ અને બોલિંગના આધારે પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 11 રનથી હરાવ્યું. નવા કેપ્ટન શ્રેયસ ઐયર સાથે આઈપીએલમાં પ્રવેશ કરનાર પંજાબે 5 વિકેટ ગુમાવ્યા બાદ 243 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે પણ 232 રન બનાવ્યા, પરંતુ આ સ્કોર જીત માટે પૂરતો ન હતો.


ગુજરાતે મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું. પંજાબ તરફથી શ્રેયસે 97 રન બનાવ્યા, તેની સાથે શશાંક સિંહે 44 અને પ્રિયાંશ આર્યએ 47 રન બનાવ્યા. ગુજરાત તરફથી સાઈ કિશોરે 3 વિકેટ લીધી. સાઈ સુદર્શને ૭૪, જોસ બટલરે ૫૪, શેરફાન રૂધરફોર્ડે ૪૬ અને કેપ્ટન શુભમન ગિલે ૩૩ રન બનાવ્યા હતા.

ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, પંજાબ કિંગ્સે ચોથી ઓવરમાં પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી. અહીં કેપ્ટન શ્રેયસ બેટિંગ કરવા આવ્યો. તેણે પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો. તેણે સ્કોરિંગ રેટ ઝડપી રાખ્યો. શ્રેયસે 9 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 97 રન બનાવ્યા. તેની ઇનિંગે જ ટીમને મોટા સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી.