ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોન 30,000 કોર્પોરેટ કર્મચારીઓને છટણી કરી રહ્યું છે. આ કંપનીના કુલ 350,000 કોર્પોરેટ કર્મચારીઓના આશરે 10% છે. આ છટણી પીપલ એક્સપિરિયન્સ એન્ડ ટેકનોલોજી (HR), ડિવાઇસીસ એન્ડ સર્વિસીસ અને ઓપરેશન્સ જેવા વિભાગોમાં થઈ રહી છે.
આ પગલું ઓપરેશન્સને શ્રેષ્ઠ બનાવવા માટે અને મહામારીના પીક ડિમાન્ડ દરમિયાન થયેલી ઓવર હાયરિંગને બેલેન્સ કરવા માટે ભર્યું છે.. એમેઝોન કુલ 1.55 મિલિયન લોકોને રોજગારી આપે છે.
સોમવારે અસરગ્રસ્ત ટીમોના મેનેજરોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલા કર્મચારીઓને જાણ કરવા માટે તાલીમ આપવામાં આવી હતી. મંગળવાર સવારથી કર્મચારીઓને ઇમેઇલ સૂચનાઓ મળવાનું શરૂ થશે.
સીઈઓ એન્ડી જેસીએ જણાવ્યું હતું કે AI ટૂલ્સના વધતા ઉપયોગથી વધુ નોકરીઓ ગુમાવવાની શક્યતા છે, ખાસ કરીને એવી નોકરીઓમાં જ્યાં પુનરાવર્તન અને નિયમિત કામનો સમાવેશ થાય છે.
આ વર્ષની શરૂઆતમાં, તેમણે કામ ન કરતા લોકોની નોંધ લેવા માટે એક અનામી ફરિયાદ લાઇન બનાવી, જેને લગભગ 1,500 પ્રતિભાવો મળ્યા.