Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતીય બેટર શ્રેયસ અય્યર સ્પ્લિનની ઈજામાંથી સાજો થઈ ગયો છે. તેમણે બુધવારે મુંબઈમાં કોઈ પણ મુશ્કેલી વિના બેટિંગ પણ કરી. TOIએ BCCIના સૂત્રને ટાંકીને લખ્યું કે હવે તેને કોઈ દુખાવો નથી અને તે કોઈ પણ મુશ્કેલી વિના બેટિંગ કરી રહ્યો છે.


31 વર્ષીય શ્રેયસ અય્યર 25 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડેમાં ઈજાગ્રસ્ત થયો હતો. તેને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તે મેચમાં અય્યરે બેકવર્ડ પોઈન્ટ પરથી પાછળની તરફ દોડતા એલેક્સ કેરીનો શાનદાર કેચ પકડ્યો હતો. આ દરમિયાન તેની ડાબી પાંસળીમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તે ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યો અને તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

અય્યર બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં ચારથી છ દિવસ રહેશે. ત્યાં તેમને ક્રિકેટમાં વાપસીની ટાઈમલાઈન વિશે જણાવવામાં આવશે.

અય્યરે નિયમિત જિમ અને ફિટનેસ રૂટિન ફરીથી શરૂ કરી દીધું છે. ઈજા પછીના તમામ એક્સ-રે અને એસેસમેન્ટમાં કોઈ ચિંતાજનક બાબત સામે આવી નથી.

ફિટનેસ ક્લિયરન્સ પર નિર્ભર રહેશે અય્યરની પસંદગી ભારતને 11 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સામે 3 વન-ડે અને 5 T20 મેચની સિરીઝ રમવાની છે. આ માટે વન-ડે ટીમની જાહેરાત 2 કે 3 જાન્યુઆરીએ થઈ શકે છે.

અય્યરનું રમવું હજુ નક્કી નથી, પરંતુ આ સિરીઝમાં તેની વાપસીને નકારી શકાય નહીં. જોકે, તેને હજુ સુધી મેડિકલ ટીમ તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળ્યું નથી.

તે વિજય હઝારે ટ્રોફીથી વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. એટલું જ નહીં, તે ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે ટીમ માટે પણ દાવેદાર હશે.