Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ રવિન્દ્ર જાડેજા અને યશ દયાલના સ્થાને ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદ અને ફાસ્ટ બોલર કુલદીપ સેનને ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામેની આગામી ત્રણ મેચની ODI શ્રેણી માટે ટીમમાં સામેલ કર્યા છે.


દયાલને પીઠના નીચેના ભાગમાં સમસ્યા છે અને તે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે જાડેજા હજુ સુધી ઘૂંટણની ઈજામાંથી બહાર આવ્યો નથી અને તે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. આથી તેમનું રિપ્લેસમેન્ટ પણ ટીમમાં સામેલ કર્યું છે.

કુલદીપ અને શાહબાઝને શરૂઆતમાં ન્યુઝીલેન્ડમાં 25 નવેમ્બરથી ઓકલેન્ડમાં શરૂ થનારી 3 મેચની ODI શ્રેણી (ભારત VS ન્યુઝીલેન્ડ) માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. જો કે હવે તે બાંગ્લાદેશ જનારી ટીમનો ભાગ હશે. ન્યૂઝીલેન્ડમાં ODI ટીમ માટે હાલમાં કોઈ વિકલ્પ આપવામાં આવ્યો નથી.