ભારતીય T-20 ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ છેલ્લા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો છે. તાજેતરમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી સિરીઝમાં પણ સૂર્યાનું બેટ ચાલ્યું નહોતું. આ પહેલાની મેચોમાં પણ સૂર્યા એવું પ્રદર્શન કરી શક્યો નથી, જેના માટે તે જાણીતો છે. આ વર્ષે સૂર્યકુમાર યાદવે 20 મેચોની 18 ઇનિંગ્સમાં 14.20ની એવરેજથી માત્ર 213 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 125નો છે અને તેના બેટથી કોઈ ફિફ્ટી પણ નથી આવી.
સૂર્યાનું આઉટ ઓફ ફોર્મ હોવું ટીમ માટે ચિંતાની વાત સૂર્યકુમાર યાદવનું આઉટ ઓફ ફોર્મ હોવું ભારત માટે ચિંતાની વાત છે, પરંતુ કેપ્ટન સૂર્યા પોતાના ફોર્મને લઈને ચિંતિત નથી. સૂર્યાનું કહેવું છે કે આ તેના માટે લર્નિંગ સ્ટેજ છે. હું અત્યારે તે જ કરી રહ્યો છું. તેણે એમ પણ કહ્યું કે ટીમના 14 અન્ય ખેલાડીઓ મારી ખોટ પૂરી કરી રહ્યા છે.
સૂર્યકુમાર યાદવે આ નિવેદન અમદાવાદ સ્થિત GLS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન આપ્યું હતું. આ દરમિયાન કેપ્ટન સૂર્યાએ લર્નિંગ પ્રોસેસ વિશે બાળકોને સારી શીખ આપી.