Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ શુક્રવારે રાત્રે ટીમની જાહેરાત કરી હતી. ટીમમાં વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલ અને ફાસ્ટ બોલર અવેશ ખાનને તક આપવામાં આવી છે. જ્યારે મોહમ્મદ શમીને સ્થાન આપવામાં આવ્યું નથી.


ટેસ્ટ સિરીઝ 25 જાન્યુઆરીથી 11 માર્ચ સુધી રમાશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25મી જાન્યુઆરીથી 5 ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાશે. બીજી મેચ 2જી ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં, ત્રીજી ટેસ્ટ 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં, ચોથી ટેસ્ટ 23મી ફેબ્રુઆરીથી રાંચીમાં અને 5મી ટેસ્ટ 7મી માર્ચથી ધર્મશાલામાં રમાશે.

ભારતે ઘરઆંગણે છેલ્લી સિરીઝ 3-1થી જીતી હતી
ઇંગ્લેન્ડ સામે WTCના સંદર્ભમાં ભારતને પડકારનો સામનો કરવો પડશે. 5 મેચની સિરીઝમાં મેચ ટક્કરની રહેશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે છેલ્લી ટેસ્ટ શ્રેણી ઓગસ્ટ 2021 દરમિયાન ઈંગ્લેન્ડમાં રમાઈ હતી. 5 ટેસ્ટ સિરીઝ 2-2થી ડ્રો રહી હતી. તે જ સમયે, ભારતમાં બંને વચ્ચે છેલ્લી સિરીઝ ફેબ્રુઆરી 2021માં થઈ હતી, આ 4 ટેસ્ટની સિરીઝ ભારતે 3-1થી જીતી હતી.